Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા અજાણ્યા પ્રૌઢનું થયું મૃત્યુ

ઓળખ આપવા પોલીસ દ્વારા કરાયો અનુરોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરની જી.જી. હોસ્પિટલના ૧૦૧ નંબરના વોર્ડ પાસેથી ગઈકાલે સાંજે બેશુદ્ધ જેવી હાલતમાં મળી આવેલા એક અજાણ્યા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. સમાજ સેવકનું પોલીસે નિવેદન નોંધ્યું છે. મૃતકની ઓળખ આપવા પોલીસે અનુરોધ કર્યાે છે.

જામનગરની જી.જી. હોસ્પિટલના વોર્ડ નં.૧૦૧ પાસે ગઈકાલે સાંજે એક અજાણ્યા પ્રૌઢ બેભાન જેવી હાલતમાં જોવા મળતા સમાજ સેવક હિતેશગીરી ગોસાઈએ તેઓને સારવાર માટે દાખલ કર્યા હતા.

આ વૃદ્ધને ચકાસ્યા પછી તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યાનું જણાવતા પોલીસને જાણ કરવામાં આવી છે. જમાદાર એસ.પી. ચૌહાણે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ. કરી છે.

ઉપરોક્ત મૃતક પચ્ચાસેક વર્ષની વય અને પાતળો બાંધો, શ્યામવર્ણ ધરાવે છે. તેમના ડાબા હાથમાં ત્રણ ત્રાજવા ત્રોફાવેલા છે. શરીર પર લીલા રંગની કેપ્રી અને સફેદ તથા બ્લુ રંગની ચોકડીવાળો શર્ટ ધારણ કરેલો છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૯૩૭૪૧ ૮૭૯૯૫ પર પીએસઆઈ જે.પી. સોઢાનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh