Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરના ધરારનગર-૧માં પણ પરંપરાગત સરઘસની રાત્રે તેમજ આસુરાના દિને નિકળ્યા તાજીયા

                                                                                                                                                                                                      

જામનગરમાં મોહર્રમ નિમિત્તે ઈમામ હુશેન અને તેમના ૭ર વફાદાર સાથીઓની શહાદતની યાદમાં દર વર્ષની જેમ પરંપરાગત મુજબ જામનગર અને જિલ્લાના મુસ્લિમ  બિરાદરોએ સરઘસની રાત્રિ અને આસુરાના દિવસે ભવ્ય અને કલાત્મક તાજીયાઓના ઝુલુસ કાઢી શાંતિ સદ્ભાવ એકતા અને ભાઈચારાના માહોલમાં અને એહતરામની સાથે મોહર્રમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના ધરારનગર-૧માં પણ કલાત્મક તાજીયા પરંપરાગત નિકળ્યા હતાં. આ તાજીયામાં કરવામાં આવેલ રોશનીને જોવા માટે શહેર તેમજ બહાર ગામથી પણ અસંખ્ય લોકો આવતાં હોય છે. બેઠા તાજીયામાં પણ રાષ્ટ્રપ્રેમ છલકાયો હતો જેમાં ત્રિરંગાની થીમ પર નાના-નાના ઝંડા લગાવી અને બાળકોએ આ બેનમુન તાજીયા તૈયાર કર્યાે હતો. (તસ્વીરઃ નિર્મલ કારિયા)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh