Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિર આસપાસ ભીડભાડવાળા વિસ્તારમાં પાથરણાવાળા-પાર્કિંગ સમસ્યા અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

ન્યુ વેપારી મંડળના પ્રમુખ દ્વારા એક્સ હેન્ડલ દ્વારા ટ્વિટઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩૦: દ્વારકાધીશ જગતમંદિરમાં  મીની વેકેશનમાં જગતમંદિર આસપાસ દરરોજ હજારો દર્શનાર્થીઓની ભીડભાડ જોવા મળી રહી છે, ત્યારે જગતમંદિર આસપાસ પાથરણાવાળાઓ દ્વારા કથિત રીતે ગેરકાયદે દબાણ કરાતું હોવા અંગે ન્યૂ વેપારી મંડળના પ્રમુખ નીલેશભાઈ બથિયા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તેઓ દ્વારા એક્સ-હેન્ડલ પર ટ્વિટ કરી ગુજરાત પોલીસ સહિતનાઓને ઉક્ત રજૂઆત કરતા જણાવેલ કે ગેરકાયદે દબાણો ઉપરાંત ગેરકાયદે પાર્કિંગની સમસ્યા પણ જગતમંદિર આસપાસ જોવા મળી રહી છે, જેના કારણે જગતમંદિર આસપાસ દબાણો ન કરવા અંગે કરેલ જાહેરાતનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. વ્યાપારીઓને પડી રહેલી સમસ્યા અંગે તુર્ત જ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh