Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલની ૧પ૦ મી જન્મ જયંતી નિમિત્તે 'રન ફોર યુનિટ'નું આયોજન તા. ૩૧ ને શુક્રવારે જામનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં સવારે ૭ વાગ્યે રણમલ તળાવના ગેઈટ નં. ૧ થી જનદોડને પ્રારંભ થશે, જે શ્યમાજીકૃષ્ણ વર્મા પાસે, મયુર મેડિકલ થઈને રણજીતનગરમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચશે જ્યાં દોડનું સમાપન થશે. આ તકે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો હેમંતભાઈ ખવા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા અને રાઘવજીભાઈ પટેલ, દંડક કેતનભાઈ નાખવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, ન.પ્રા.શિ.સ.ના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી વિગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial