Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર મહિના પછી દ્વાર ખૂલતા જ પક્ષીપ્રેમીઓ ઉમટ્યાઃ
જામનગર તા. ૭: જામનગરની નજીક આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણના દરવાજા આજથી ખુલ્યા છે. આજે સવારે અનેક પક્ષીપ્રેમીઓ બર્ડ વોચિંગ માટે ઉમટી પડ્યા હતાં. જામનગરથી ૧ર કિ.મી. દૂર આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણના દરવાજા ચાર માસ પછી આજે ખૂલ્યા છે. જે નિયત સમય કરતા એક અઠવાડિયા વહેલા ખોલાયા છે. આ ખજીડિયા પક્ષી અભ્યારણમાં શિયાળા દરમિયાન વિશાળ સંખ્યામાં આયાવર પક્ષીઓ મહેમાન બને છે, જે બે પાર્ટમાં ફેલાયેલ છે. પાર્ટ-૧ મા પગપાળા પક્ષી દર્શન થઈ શકે છે, જ્યારે પાર્ટ-ર મા વાહન સાથે જઈ શકાય છે. આ અભ્યારણની મુલાકાત કરવા આરએફઓ, મરીન નેશનલ પાર્ક, જામનગરના દક્ષાબેન વધાસિયાએ પક્ષીપ્રેમીઓને અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial