Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    બહોળી સંખ્યામાં યાત્રિકો તથા સ્થાનિકોએ કર્યા દર્શનઃ
દ્વારકા તા.૪ : દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાય વગેરે દ્વારા મંદિર પરિસરમાના રાણીવાસમાં આવેલા ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો. જે શહેરના માર્ગાે પર ફરી પુનઃ રાણીવાસમાં પધાર્યાે હતો. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાયા હતા. જગતમંદિરમાં સાંજે ગૌધુલીક સમયે નિજ મંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપનું શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તુલસીજી સાથે લગ્નોત્સવ યોજાયા હતા. આ પ્રસંગનો લ્હાવો લેવા બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ તથા બહારગામથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત કાર કારતક સુદ-એકાદશીના દિને દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજી તથા તુલસીજીના પરંપરાગત લગ્ન યોજાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial