Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગણેશોત્સવના સાતમા દિવસે રર૯૦ પ્રતિમા વિસર્જિત

'ગણપતિ બાપા મોરિયાઃ અગલે બરસ તું જલદી આ'

                                                                                                                                                                                                      

'છોટીકાશી'ના જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, અને શહેરના અનેક મોટા ચોક, નાની શેરી, ગલ્લી, એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના વિવિધ સ્થળો પર મોટી સંખ્યામાં ગણપતિ સ્થાપના કરવામાં આવ્યા છે, અને પ્રતિદિન ધાર્મિક કાર્યક્રમો, મહાઆરતી વિગેરેના આયોજન થાય છે.

ગઈકાલે ગણપતિ સ્થાપનના સાતમા દિવસે કેટલાક ગણપતિ મંડળના સંચાલકો કે જેઓ દ્વારા ૭ દિવસના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે તમામ ગણપતિ મંડળના આયોજકો દ્વારા 'ગણપતિ બાપા મોરિયા અગલે બરસ કો જલદી આ'ના નારા સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, અને શહેરમાં અનેક સ્થળે ગણપતિ વિદાય વેળાની ધૂનો સંભળાઈ હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગઈકાલ સુધીમાં કુલ રર૯૦ ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના વર્ક આસી. હિરેન સોલંકીની રાહબરી હેઠળ ફાયરબ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટૂકડી તહેનાત રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh