Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પરિણીતાનો અકળ કારણથી ઘરમાં જ ગળાફાંસોઃ સારવારમાં થયું મોત

કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના રાજપાર્કમાં રહેતા એક પરિણીતાએ ગયા સોમવારે અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. સારવારમાં ખસેડવામાં આવેલા આ મહિલાનું શનિવારે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે સંબંધીનું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના રાજપાર્ક વિસ્તારમાં આવેલી શિવ પ્રોવિઝનવાળી શેરીમાં વસવાટ કરતા પ્રિયાબેન સંજયભાઈ બારૈયા નામના ૨૭ વર્ષના કોળી પરિણીતાએ ગઈ તા.૨૭ની બપોરે કોઈ અકળ કારણથી પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો.

તેની જાણ થતા આ પરિણીતાને નીચે ઉતારી સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ મહિલાનું સારવાર દરમિયાન શનિવારે મૃત્યુ નીપજ્યું છે. ધરારનગર-રમાં રહેતા મનોજભાઈ પુનાભાઈ બાંભણીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આ પરિણીતાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh