Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મવીર ચંદ્રશેખર આઝાદ જયંતી દિને
જામનગર તા. ૨૫ઃ સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બ્રહ્મવીર ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે રોપા વિતરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વાતંત્ર્યસેનાની ક્રાંતિકારી બ્રહ્મવીર ચંદ્રશેખર આઝાદની ૨૩મી જુલાઈના જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા શહેરના ડીકેવી સર્કલ પાસે વિનામૂલ્યે રોપા વિતરણ તેમજ પક્ષીઓ માટે પાણી પાવાના બાઉલનું વિતરણ કરી બ્રહ્મવીર ચંદ્રશેખર આઝાદને ફૂલહાર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે શહેરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ૭૮ ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, સ્ટે.કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, પ્રદેશ ભાજપ અગ્રણી (પૂર્વ શહેર અધ્યક્ષ) ડો.વિમલભાઈ કગથરા, આર.એસ.એસ. અગ્રણી વૃજલાલભાઈ પાઠક, વોર્ડ નં.૩ કોર્પોરેટર પરાગભાઈ પટેલ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, ભાજપ અગ્રણી ગિરીશભાઈ અમેથીયા, વોર્ડ નં.૩ પ્રમુખ નરેશભાઈ ગઢવી, અશ્વિનભાઈ કોઠારી, બ્રહ્મસમાજ અગ્રણી રાજુભાઈ મહાદેવ, કિર્તીભાઈ કલ્યાણી, ગુણવંતભાઈ ભટ્ટ, મિતેષભાઈ મહેતા તથા ભરતભાઈ કાનાબાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સુનિલ જોશી, કિરીટ ઠાકર, વિરલ ત્રિવેદી, રાજેશ ઠાકર, કપિલ રાવલ, સંજય ઓઝા, પરિમલ ત્રિવેદી, જામ્બાલી રાવલ, સિમિત રાવલ, રાજુ વ્યાસ, મનીષા જોષી, હિના ઠાકર, ધરતી વ્યાસ, જાહ્નવી શુકલ, ઉષા જોષી, વાસંતી ઠાકર, નીતા મહેતા, જ્યેષ્ઠા જોષી વિગેરે સંસ્થાના સભ્યો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial