Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોરધનપર પાસે રિક્ષાને બસની ઠોકરઃ પાંચને ઈજાઃ
જામનગર તા. ૩૦: જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે કનસુમરા પાટીયા વચ્ચે મંગળવારે વહેલી સવારે એક પ્રૌઢને બોલેરોએ હડફેટે લીધા પછી આ પ્રૌઢનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. ગોરધનપરના પાટીયા પાસે ગઈકાલે સવારે રિક્ષાને ખાનગી બસે ટક્કર મારતા ખંભાળિયાના દંપતી સહિત પાંચને ઈજા થઈ છે.
જામનગર નજીકના દરેડ પાસે દ્વારકેશ સોસાયટીમાં રહેતા મૂળ લાલપુર તાલુકાના નાંદુરી ગામના કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ પરમાર (ઉ.વ.પર) નામના પ્રૌઢ મંગળવારે સવારે છએક વાગ્યે કનસુમરા પાટીયા પાસે સાંઢીયા પુલ નજીકથી પસાર થતા હતા.
આ વેળાએ પુરપાટ ઝડપે પાછળથી ધસી આવેલી જીજે-૩૭-વી ૮૩૩૮ નંબરની બોલેરોએ તેઓને હડફેટે લીધા હતા. જોરદાર ટક્કર લાગતા કાનજીભાઈ રોડ પર પછડાયા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા કાનજીભાઈનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ગૌતમભાઈ પરમારે બોલેરો ચાલક સામે પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામમાં રહેતા અમરસંગ જટુભા જાડેજા તથા તેમના પત્ની પ્રફુલાબા અને પુત્ર તેમજ પુત્રી જીજે-૩૭-યુ ૨૨૪૩ નંબરની રિક્ષામાં ગઈકાલે સવારે ખંભાળિયાથી જામનગર આવવા માટે નીકળ્યા હતા ત્યારે અમરસંગ રિક્ષા ચલાવી રહ્યા હતા.
આ રિક્ષાને ગોરધનપર ગામ પાસે જીજે-૩-એડબલ્યુ ૯૮૧૩ નંબરની રાધે ક્રિષ્ના ટ્રાવેલ્સની બસે ટક્કર મારતા રિક્ષા ગોથું મારી ગઈ હતી. રિક્ષાચાલક અમરસંગ તેમજ તેમના પત્ની, બાળકોને ઈજા થઈ છે અને રોડ પર ઉભેલા નાથીબેન નામના મહિલા પણ રિક્ષાની ટક્કરથી ગંભીર રીતે ઘવાયા છે. પ્રફુલાબાએ બસના ચાલક સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial