Advertisement
Author: નોબત સમાચાર

દરેડમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં પરશુરામ ધામનો શિલાન્યાસ

પૂર્વ મુખ્યમંત્રી, સાંસદ, મંત્રી, ધારાસભ્યો સાધુ-સંતોની ઉપસ્થિતિઃ બ્રહ્મચોર્યાસીનું આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર નજીક દરેડ ગામમાં બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટના ઉપક્રમે શારદાપીઠ દ્વારકા જગદ્ગુરુ શંકરાચાર્યજી મહારાજ દ્વારા સંચાલિત તક્ષશીલા સંકુલમાં આજે ભગવાન પરશુરામના ભવ્ય મંદિર 'પરશુરામ ધામ'ના શિલાન્યાસનો સમારોહ જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજશ્રીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે શંકરાચાર્યજી મહારાજ તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સંસદસભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, પબુભા માણેક, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી, સાધુ-સંતોએ દીપ પ્રાગટ્ય કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ભવ્ય નિર્માણાધિન પરશરામધામમાં ભગવાન શ્રી પરશુરામની પ્રતિમા સાથે ભગવાન ગુરુદત્તાત્રેયજી તેમજ આદ્ય શંકરાચાર્યજીની પ્રતિમાને પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. આજના સમારોહમાં બ્રહ્મસમાજના અગ્રણીઓ, કોર્પોરેટરો, જામનગરના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો, સંતો-મહંતો તથા ભૂદેવો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આજના શિલાન્યાસ સમારોહ સાથે બ્રહ્મચોર્યાસી (મહાપ્રસાદ) નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh