Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યવસાય વેરામાં ૩૧ કરોડ અને પાણી ચાર્જમાં ૭૯ લાખની આવકઃ
જામનગર તા. ૮: જામનગર મહાનગરપાલિકાની વ્યાજમાફી યોજનામાં મહાનગરપાલિકાને રૂ. ૩૬ કરોડ ૧૩ લાખની આવક થઈ છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકિય વર્ષમાં તા. ૧૬-૬-૨૫ થી તા. ૭-૭-૨૫ સુધી મિલકતવેરો, પાણીચાર્જ અને વ્યવસાયવેરામાં ૧૦૦% વ્યાજમાફી જાહેર કરવામાં આવી હતી.
આ યોજના દરમ્યાન કુલ ૫૧૨૩ મિલકત ધારકોએ મિલકતવેરામાં ૧૦૦% વ્યાજમાફી યોજનાનો લાભ મેળવી કુલ રૂ. ૩૬.૧૩ કરોડનો મિલકતવેરો ભરપાઈ કરીને રૂ. ૯ કરોડ ૧૬ લાખની વ્યાજમાં રાહતનો લાભ મેળવેલ. આ સમયગાળા દરમ્યાન પાણીચાર્જ ૧૬૧૯ કરદાતાઓને ૧૦૦% વ્યાજમાફીનો લાભ લઈને રૂ. ૦.૭૯ કરોડ ભરપાઈ કરીને રૂ. ૦.૧૮ કરોડ વ્યાજ રાહતનો લાભ મેળવેલ છે.
જી.આઈ.ડી.સી.માં કુલ ૮૮૯ ઉદ્યોગકારો દ્વારા રૂ. ૩૦.૩૯ કરોડનો વેરો ભરપાઈ કરીને રૂ. ૭.૮૯ કરોડ વ્યાજ રાહત મેળવેલ છે.
વ્યાપારવેરામાં કુલ ૬૦૫ વ્યવસાયકારોએ કુલ રૂ. ૩૧.૦૨ લાખ ભરપાઈ કરીને રૂ. ૦૧.૫૩ લાખ વ્યાજ રાહતનો લાભ મેળવેલ છે. ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધીમાં ૫૭૦૯૯ નાગરિકોએ રૂ. ૭૪.૭૮ કરોડનો મિલકતવેરો ભરપાઈ કર્યો છે તેમ આસી. કમિશ્નર (ટેકસ) જીજ્ઞેશ નિર્મળની યાદીમાં જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial