Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમલગ્ન કર્યા પછી પતિગૃહે ન આવતી યુવતીને અન્ય સાથે સંબંધની જાણ થતાં યુવાનનો ગળાફાંસો

પત્નીના વાયદા પછી નાસીપાસ યુવાને આત્મહત્યા કરતા ચકચારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામજોધપુરના કોટડાબાવીસી ગામના એક યુવાને પ્રેમસંબંધમાં બંધાઈ જે યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. તે યુવતી ઘરે આવવાનો વાયદો કર્યા પછી પણ આવતી ન હોવાથી અને તેણીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં નાસીપાસ થઈ ગયેલા યુવાને ગઈકાલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.

જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામમાં રહેતા વિશાલભાઈ જમનભાઈ મકવાણા (ઉ.વ.૩૦) નામના યુવાન છેલ્લા ત્રણેક મહિનાથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. સતત ગુમસુમ રહેતા આ યુવાને ગઈકાલે પોતાના ઘરે ઉપરના માળે જઈ લાકડાની આડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પરિવારજનોએ વિશાલભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.

આ બનાવની મૃતકના નાનાભાઈ અને વકીલાતની પ્રેક્ટિસ કરતા દિવ્યેશભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે. દોડી આવેલી પોલીસે અપમૃત્યુની નોંધ કરી દિવ્યેશભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના મોટાભાઈને એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા પછી તેઓએ લગ્ન કરી લીધા હતા.

લગ્ન પછી આ યુવતી વિશાલભાઈના ઘેર આવતી ન હતી અને તેણીને ઘરે આવી જવા માટે અવારનવાર કહેતા વિશાલભાઈને આ યુવતીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. તેથી આઘાત પામેલા વિશાલભાઈ ગુમસુમ રહેતા હતા અને ગઈકાલે તેઓએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh