Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકાએ પહોંચ્યુંઃ
જામનગર તા. ૧૦ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.ર ડીગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ર૦ ટકા વધીને ૮પ ટકા રહ્યું હતું. આકળા તાપ અને અસહ્ય બફારાના ડબલ એટેકથી પ્રજાજનો પરશેવે રેબઝેબ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા હતાં, જેમાં ૧.ર ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.ર ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ગઈકાલે બપોરે પણ આકરો તાપ અનુભવાયો હતો.
નગરમાં એક જ દિવસમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૦ ટકા વધીને ૮પ ટકાએ પહોંચી ગયું હતું. ગરમી સાથે બફારાનો મિલાપ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરશેવે રેબઝેબ થઈને પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.
ગરમી અને બફારાના બમણા મારની વિપરિત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. સરકારી તથા ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં પેટ તથા માથામાં દુઃખાવો, તાવ સહિતના કેસો વધારે નોંધાઈ રહ્યા છે. ગરમી અને બફારામાંથી રાહત મળે તે માટે લોકો ઠંડાપીણા ઉપરાંત એસી અને એરકુલરનો પણ સહારો લઈ રહ્યા છે. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial