Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાઈપ ફટકારી જાનથી મારી નાખવાની ધમકીઃ
જામનગર તા. ૯ઃ જામનગરના સરદારપાર્ક-૪માં એક મકાનમાં ગઈકાલે સાંજે બે પાડોશીએ ઘૂસી જઈ દંપતી પર પાઈપથી હુમલો કરી ધમકી આપી હતી. એક હુમલા ખોરના પત્ની વિશે વાતો કરવાના મુદ્દે ઉપરોક્ત હુમલો થયાનું જણાવાયું છે.
જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલા સરદાર પાર્ક-૪માં રહેતા અનિલભાઈ વાલજીભાઈ વાઘેલા નામના યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા રવિ બાબરીયા, છગનભાઈ ભલાભાઈ પરમાર નામના બે શખ્સ આવી ચઢયા હતા.
આ શખ્સોએ અનિલને તારી પત્ની મારી પત્નીના પાડોશી સાથે પ્રેમસંબંધ હોવાની ખોટી વાત કેમ કરે છે તેમ કહી ઝઘડો શરૃ કર્યા પછી અનિલ તથા તેની પત્ની મનિષાબેનને ગાળો ભાંડી હતી. આ વેળાએ છગને પોતાની પાસે રહેલો પાઈપ ફટકારી રવિને ઈજા કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મનિષાબેનનો મોબાઈલ ઝૂંટવી તોડી નાખ્યો હતો. પંચકોશી-એ ડિવિઝનમાં અનિલ વાઘેલાએ ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial