Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાસક પક્ષો અને વિપક્ષોના સાંસદોને વ્હીપ અપાયા
નવી દિલ્હી તા. ૭: સોમવારથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે, જેમાં પ્રથમ દિવસે જ સ્પીકર વિરૂદ્ધ પ્રસ્તાવ આવી રહ્યો હોવાથી શાસક-વિપક્ષ આમને-સામને છે. સાંસદોને વ્હીપ અપાયા છે. જો કે, સરકાર રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટીસ નહીં આપે, તેમ જાણવા મળે છે.
બજેટ સત્રનો બીજો તબક્કો સંસદમાં ૯ માર્ચથી શરૂ થશે અને ૨ એપ્રિલ સુધી ચાલુ રહેશે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના લોકસભા સાંસદોને ૯ માર્ચથી ૧૧ માર્ચ સુધી ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હીપ જારી કર્યો છે.કોંગ્રેસે તેના સાંસદોને આ દિવસોમાં ગૃહમાં હાજર રહેવા કહૃાું છે કારણ કે અધ્યક્ષને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. ભાજપે પણ તેના સાંસદોને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
વિપક્ષે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. ૧૧૮ વિપક્ષી સાંસદોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસના ૨૯ સાંસદોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી. એવો આરોપ છે કે સ્પીકરે ગૃહની કાર્યવાહી ચલાવવામાં પક્ષપાતી અભિગમ અપનાવ્યો અને વિપક્ષી નેતાઓને બોલવાની તક આપી નહીં.
નિયમો અનુસાર, લોકસભામાં સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ સરળ બહુમતીથી પસાર થાય છે. એનડીએ પાસે હાલમાં ૨૯૦ થી વધુ સાંસદોનું સમર્થન છે, જેના કારણે પ્રસ્તાવ પસાર થવો મુશ્કેલ બને છે. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સ્પીકર પોતે ગૃહનું અધ્યક્ષપદ સંભાળશે નહીં, પરંતુ તેમને પોતાના મંતવ્યો રજૂ કરવાનો અને મતદાન કરવાનો અધિકાર રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ગૃહમાં રાહુલના ભાષણ માટે વિશેષાધિકાર ભંગની નોટિસ લાવશે નહીં. પ્રિયંકા ગાંધીએ વળતો પ્રહાર કર્યો, મોદીજીની છાતી ૫૬ ઇંચ માપવામાં આવી હતી. તેમની સામે પણ પ્રસ્તાવ લાવવો જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial