Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુનિટી પ્લસ હોસ્પિટલના તબીબોએ
ધ્રોલ તા. ૧૬: ધ્રોલ પંથકમાં દાન, પુણ્ય અને પરોપકારના પવિત્ર પર્વ મકરસંક્રાંતિની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ શુભ અવસરે ધ્રોલની જાણીતી યુનિટી હોસ્પિટલના ડો. જીગ્નેશભાઈ હિરાણી તથા ડો. દિપ્તીબેન હિરાણી દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રેરણાદાયી સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રોલ તાલુકાના ખારવા ગામે આવેલા પૌરાણિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન નાગબાઈ માતાજીના મંદિરમાં ગત રોજ બપોરે ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખારવા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરી કામ કરતા અંદાજે ૧૫૦ જેટલા ખેત મજૂરો અને જરૂરિયાતમંદ પરિવારોને આત્મીયતાપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું.
મકરસંક્રાંતિના પાવન દિવસે માતાજીના સાનિધ્યમાં શ્રમિકોના જઠરાગ્નિ તૃપ્ત કરી ડોક્ટર દંપતીએ સેવા એ જ ધર્મ ના મંત્રને સાર્થક કર્યો હતો. આ સેવાકાર્ય દરમિયાન યુનિટી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ તેમજ ખારવા ગામના અગ્રણીઓ અરવિંદભાઈ હિન્સુ, મહેશભાઈ ચીખલીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી બન્યા હતા.
તહેવારના દિવસે મોજ-મજાની સાથે સમાજના છેવાડાના માનવીને યાદ કરી યુનિટી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ માનવતાભરી કામગીરીને ગ્રામજનો તથા સમગ્ર પંથકના લોકોએ પ્રશંસા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial