Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળમાં મહારાણા પ્રતાપ વસતિના વિરાટ સંગઠન સંમેલન

આગામી રવિવારે તા. ૮ મી માર્ચે યોજાશે

                                                                                                                                                                                                      

ધ્રોળ તા. ૬: ધ્રોળમાં આગામી રવિવાર, તા. ૮ મી માર્ચે રેવનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સાંજે ૪ વાગ્યે મહારાણા પ્રતાપ વસતિના વિરાટ સંગઠન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હિન્દુ સંમેલન પ્રસંગ પંચમુખી હનુમાન મંદિરના મહંત સુખદેવ દાસજી ત્યાગી, બોટાદના આત્માનંદ સરસ્વતી મહારાજ, રામનાથની જગ્યાના મહંત ચંદ્રભુષણ ત્યાગી, આરએસએસ (રાજકોટ) ના કાર્યવાહ નિકુંજભાઈ ખાંટ, અધ્યક્ષસ્થાને ચંદ્રકાંતભાઈ વલેરા વિગેરે ઉપસ્થિત રહેશે. આ આયોજનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે તેમજ સમાજસેવકોનું સન્માન કરવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા જતીનભાઈ અનડકટ, ભવેશભાઈ, માનસીંગભાઈ ડામોર વિગેરે જહેમત ઊઠાવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh