Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના રણજીતપરા વિસ્તારના લોકોને નગરપાલિકા દ્વારા અન્યાય

દર ત્રણ દિવસે પાણી વિતરણ અને તે પણ ૨૪ કલાકમાં ગમે ત્યારે... !

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૫ઃ સામાન્ય રીતે નગર પાલિકાઓમાં પાણી વિતરણ નળમાં થાય તે સમયબદ્ધ હોય છે, જેથી લોકોને ખબર પડે અને પાણી ભરી શકે પણ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાનો રણજીતપરા વિસ્તાર પાકિસ્તાનમાં હોય એન વેેરાડ નાકા વિસ્તાર ભારતમાં હોય તેમ પાણીની સેવામાં ભારે ભેદભાવ પાલિકાતંત્ર દ્વારા થતાં, ભારે રોષ સાથે ગઈકાલે વીજકાપના બહાના હેઠળ ત્રીજા દિવસે પણ પાણી ન આવતા લોકોનું ટોળું પાલિકાએ જવા તૈયાર થતાં સ્થાનિક પાલિકા સભ્યો તથા હોદ્દેદારો દ્વારા સમજાવાયા હતા.

અગાઉ વર્તુ ડેમ પાસે ખાનગી માલિકીના કૂવામાંથી મહીને છ હજાર ભાડું અને ૩૦,૫૦,૩૦ ની ત્રણ ઈલેકટ્રિક મોટરો દ્વારા સેવા સદન પાસે ટેંક પરથી પાણી વિતરણ થતું, પણ  પાણી ક્યારે આવે તે નક્કી નહીં. એક દિવસે સવારે ૮ વાગ્યે તો બીજા દિવસે રાત્રે ૮ વાગ્યે આવે. !! પાણી આવે તેની એક વ્યક્તિએ ચોકી કરવાની, નહીં તો, પાણી ક્યારે ચાલ્યું જાય ખબર પણ ન પડે, કોઈ જાણ ના કરે અને પાછું ત્રણ દિવસે પાણી આવે, નહીં તો ચાર દિવસે !!

નવાઈની વાત છે કે રણજીતપરા વિસ્તારના લોકો સાથે જ આવો અન્યાય થાય છે. વેરાડ નાકા સહિતના વિસ્તારોમાં નિયમિત પાણી મળે. અગાઉ અહીં કૂવાનું પાણી અપાતું તે જાગૃત સદસ્યોથી હવે રેગ્યુલર પાણી મળે છે પણ છતાં આવા ભેદભાવથી રોષની લાગણી સ્થાનિકોમાં ફેલાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh