Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે રાત્રે ૪૯ દિ. પ્લોટમાં ડ્રોનું આયોજનઃ
જામનગર તા. ૫: જામનગરના હાલારી ભાનુશાળી જોઈશર પરિવાર દ્વારા દર વર્ષે યોજાતો સુરાપુરા શ્રી વશરામબાપાનો હવન (ભયરૂ) દડીયામાં રવિવારના રાખવામાં આવ્યો છે. હાલારી ભાનુશાળી જોઈશર પરિવાર દ્વારા જામનગર ૫ાસેના દડીયા ગામમાં તા. ૧૧ મે વૈશાખ સુદ ૧૪ના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ પરિવારજનો માટે ભોજનરૂપી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે રવિવારે યોજાનાર આ હવનમાં ધ્વજા ચડાવવા, નાળિયેર હોમવા, ઘી હોમવા, ગૃહશાંતિ માટેનો તા. ૫-૫-૨૦૨૫ સોમવારના રાત્રે ૮ વાગ્યે સ્વ. ગોરધનભાઈના નિવાસ સ્થાન શ્રીરામ, ૪૯ દિ. પ્લોટ, જામનગરમાં ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા તમામ જોઈશર પરિવારને જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial