Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ
ખંભાળિયા તા. ૫: મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં બુથ લેવલ ઓફિસર્સ દ્વારા મતદારોને હાઉસ ટુ હાઉસ ફોર્મ વિતરણ શરૂ કરાયું છે.
ચૂંટણી પંચ દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે. જે તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની કામગીરી કાર્યરત છે.
જિલ્લામાં ૮૧ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત ખંભાળિયામાં આજે બુથ લેવલ ઓફિસર્સ દ્વારા ફોર્મ વિતરણ શરૂ કરાયું હતું. બુથ લેવલ ઓફીસરો દ્વારા તેમના મતદાન મથક અંતર્ગતના મતદારોના ઘરે ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ વિતરીત કરવા તેમજ આ ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન આપીને ફોર્મ ભરાવવાનું કાર્ય શરુ કરાયું છે. મતદાન મથકદીઠ નિયુક્ત કરેલા બી.એલ.ઓ. તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૦૪-૧૨-૨૦૨૫ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ૬૩૪ મતદાન મથકોમાં કામગીરી કરાશે.
તા.૦૪-૧૨-૨૦૨૫ સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન રી-એરેન્જમેન્ટ તા.૦૫-૧૨-૨૦૨૫થી તા.૦૮-૧૨-૨૦૨૫ સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.૦૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ થશે. સને-૨૦૦૨ની મતદારયાદીનાં સંદર્ભમાં થનાર આ કાર્યક્રમમાં મતદારો રંંૅજઃ//ર્દૃંીજિ.ીષ્ઠૈ.ર્ખ્તદૃ.ૈહ પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૦૨માં પોતાનું નામ ચકાસી શકશે. મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થાળાંતરીત અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરવામાં આવશે અને નવા લાયક મતદારોને ઉમેરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial