Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોળના ખારવામાં ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવઃ સંતો-મહંતોની ઉપસ્થિતિ

ર૯ નવદંપતી પ્રભૂતામાં પગલાં માંડશેઃ

                                                                                                                                                                                                      

ધ્રોળ તા. ૧૧: ધ્રોળ તાલુકાના ખારવા ગામે સમસ્ત ભરવાડ સમાજ-ધ્રોળ દ્વારા આયોજિત ૧૩ મો ભવ્ય ગૌપાલક સમૂહ લગ્નોત્સવ આજે તા. ૧૧-ર-ર૦ર૬ (બુધવાર) ના અત્યંત હર્ષોલ્લાસ સાથે યોજાયો છે. શ્રી ગૌપાલક સમૂહલગ્ન સેવા સમિતિના આયોજન હેઠળ યોજાતી આ સામૂહિક લગ્નવિધિમાં કુલ ર૬ નવદંપતીઓ વૈવાહિક જીવનમાં પ્રવેશ કરશે.

આ પાવન પ્રસંગે ભરવાડ સમાજના પ.પૂ. સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે, જેમાં સમસ્ત ભરવાડ સમાજના ધર્મગુરુ મહામંડલેશ્વર ૧૦૦૮ પ.પૂ. મહંત શ્રી ઘનશ્યામપુરી બાપુ, પ.પૂ. શ્રી બાલારામબાપુ તથા શ્રી કિશનભગત સહિતના સંતો નવદંપતીઓને આશીર્વાદ આપશે. લગ્નોત્સવનું આયોજન હમાપર રોડ પર આવેલા શ્રી નાગબાઈ માતાજીના મંદિર, ખારવામાં કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh