Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહાણ-બોટ તથા દરિયાનું પૂજન
સલાયા તા. ૧૭: સલાયામાં નવા નારોજની ઉજવણી દરમિયાન દરિયો, વહાણ તથા બોટોનું પૂજન કરાયુ હતું, અને નવા નારોજની ઉજવણી કરાઈ હતી.
સલાયામાં નવા નારોજની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માછીમાર ભાઈઓ અને વહાણવટીઓ દ્વારા પોતાના વહાણ અને બોટના આગળના ભાગને પાણી વડે ધોઈ અને શ્રીફળ અગરબત્તી સાકર દ્વારા પૂજન કરાય છે તેમજ ફૂલહાર કરવામાં આવે છે. ત્યારબાદ દરિયાને પણ શ્રીફળ વધારી અને અગરબતી કરી ભોગ સામગ્રી ધરાઈ છે.
આ નવા નારોજ ખારવા સમાજ દ્વારા પણ ઉજવાય છે અને વાજતે ગાજતે ખારવા સમાજના લોકો દરિયાદેવની પૂજા અર્ચના કરવા જાય છે. જુના રીત રિવાઝ મુજબ આ નવા નારોજના દિવસથી વહાણ અને બોટમાં ખલાસીઓને કામે રખાય છે તેમજ નવા માણસોને પણ આજના દિવસથી કામે રખાય છે. અને પગાર પેટે ઉપાડ પણ આપવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા સલાયામાં ઉજવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial