Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અબોલ જીવો અને જરૂરતમંદોના લાભાર્થે
જામનગર તા. ૭: જામનગરના શિવાંશ ફાઉન્ડેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અબોલ જીવો અને જરૂરતમંદોના લાભાર્થે એક દિવસીય બાય-બાય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અતિથિ રાજકોટના ભાગવત કથાકાર શાસ્ત્રીજી અજયભાઈ ભટ્ટ, બાળ કલાકાર અભિનવ આહિર, ગુજ્જુ દયાબેન તરીકે જાણીતા કલાકાર કાજલ રામાનંદી ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં હાજર રહેલા તમામ લોકોએ મોડીરાત સુધીના આ કલાકારો સાથે મનભરી ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો. તેમજ અબોલ જીવ, જરૂરિયાતમંદોની સેવાના સંકલ્પ સાથે યોજાયેલી આ નવરાત્રિમાં વિજેતા ખેલૈયાઓને ઈનામ વિતરણ જામનગરના જાણીતા યુવા બ્રહ્મ અગ્રણી અને સામાજિક કાર્યકર દેવેનભાઈ જોષી તરફથી કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial