Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાનું નિધન તથા લગ્ન થતાં ન હોવાનું કારણઃ
જામનગર તા. ૧૫: જોડિયાના નેસડા ગામમાં ભાગમાં વાવવા માટે ખેતર રાખનાર મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિકે સોમવારની રાત્રે ખેતરમાં આવેલા ઝાડમાં દોરડું બાંધી ગળાટૂંપો ખાઈ લીધો ેછે. મૃતકના ભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે. આ યુવાનના પિતાનું પાંચેક વર્ષ પહેલાં નિધન થતાં અને આ યુવાનના લગ્ન થતાં ન હોવાથી ઉદાસ બની તેણે આત્મહત્યા કરી હોવાનું ખૂલ્યું છે.
જોડિયા તાલુકાના નેસડા ગામની સીમમાં શૈલેષભાઈ ડાંગર નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની કમલેશભાઈ હીમલાભાઈ સંગોડ (ઉ.વ.રર) નામના શ્રમિકે સોમવારની રાત્રે બેએક વાગ્યે તે ખેતરમાં જ આવેલા આંબલીના ઝાડમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની ગઈકાલે સવારે જાણ થતાં મૃતકના મોટાભાઈ શંકરભાઈ સંગોડે પોલીસને જાણ કરી છે. દોડી ગયેલા જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યો છે અને શંકરભાઈનું નિવેદન નોંધ્યું છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ આ ખેતર કમલેશભાઈએ વાવવા માટે ભાગમાં રાખ્યું હતું. પાંચેક વર્ષ પહેલાં કમલેશભાઈના પિતાનું નિધન થયું હતું. તે પછી આ યુવાન આઘાતમાં હતા અને તેઓના લગ્ન પણ થતાં ન હતા. તેથી વ્યથિત બની કમલેશભાઈએ ઉપરોક્ત પગલું ભરી લીધુ છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial