Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના રોજીયામાં મજૂરી માટે આવીને રહેતા મધ્યપ્રદેશના શ્રમિકનો અકળ કારણથી ગળાફાંસોઃ પત્ની બન્યા લાપત્તા

યુવાનની આત્મહત્યા તથા પત્નીના ગુમ થવાની પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ધ્રોલના એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિકે ગુરૂવારની રાત્રિથી શુક્રવારની સવાર સુધીમાં કોઈ અકળ કારણથી તે ખેતરમાં આવેલા ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો છે. મૃતકના પિતાએ પોલીસને જાણ કરી છે. આ યુવાનની આત્મહત્યા પછી તેમના પત્ની ક્યાંક ચાલ્યા ગયાની પોલીસને જાણ કરવામાં આવી છે.

ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં લખગીરસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના વતની ગોરધનભાઈ દિનેશભાઈ વાસુનીયા (ઉ.વ.૨૦) નામના શ્રમિક સાથે તેમના પત્ની રાહલીબેન (ઉ.વ.૧૯) પણ મધ્યપ્રદેશથી આવ્યા હતા.

ત્યારપછી ગુરૂવારની રાત્રિના નવ વાગ્યાથી શુક્રવારની સવાર સુધીમાં ગોરધનભાઈએ ત્યાં આવેલા ગોડાઉનમાં કોઈ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની ગઈકાલે સવારે જાણ થતાં તે ખેતરમાં જ કામ કરતા ગોરધનભાઈના પિતા દિનેશભાઈ મગનભાઈ વાસુનીયાએ પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલી ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યો છે. ત્યારપછી પતિના નિધનના કારણે તેમના પત્ની રાહલીબેન ખેતરેથી ક્યાંક ચાલ્યા ગયા છે તેની પણ પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ મહિલાનો ફોટો, વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh