Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨: જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એકસીલેન્સ, હરીપરમાં (તાલુકો લાલપુર) કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના પ્રમુખ પ્રવીણભાઈ માડમ,મેનેજીંગ ટ્રસ્ટી લીરીબેન માડમ, જિલ્લા આયોજન અધિકારી વિપુલભાઈ સોનગ્રા, લાયજન અધિકારી રવિન્દ્રસિંહ જાડેજા, શાળાના આચાર્ય આશિષભાઈ કારીયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને માં સરસ્વતીની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત, ધોરણ ૬ની વિદ્યાર્થીનીઓનો પ્રવેશ, ઉદ્બોધન, તેજસ્વી તારલાઓનું સન્માન, વિવિધ વિષયો પર બાળકોનું વક્તવ્ય વગેરે યોજાયા હતા. કાર્યક્રમને અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાડેજા દિવ્યરાજસિંહ દ્વારા કરવામાં આવ્યુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial