Advertisement
Author: નોબત સમાચાર

જૂના નાગના-નવા નાગનાને જોડતો બ્રિજ બનાવવા ત્રણ વર્ષમાં ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા

ત્રણ વર્ષ પહેલા મંત્રી રાઘવજીભાઈ પટેલે કર્યુ હતુ ખાતમુહૂર્ત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના જુના નાગના અને નવા નાગના ગામને જોડતો બ્રિજ બનાવવા માટે ત્રણ વર્ષમાં ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે.  ત્રણ વર્ષ પહેલા કેબિનેટ મંત્રી દ્વારા જે પૂલના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જે હજુ સુધી ચાલુ નહીં થતા ગ્રામજનોને ભરોસો ઉઠ્યો છે.

જામનગર નજીક નવા નાગના અને જૂના નાગના ગામને જોડતો મેજર બ્રિજ કે જેની હાલત દયનિય છે, અને ચોમાસાની સિઝનમાં ગ્રામજનોને આવવા જવા માટે ની પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો છે.  જે પૂલનું કામ શરૂ કરવા માટે ત્રણ વર્ષ પહેલા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. તે કામ હજુ સુધી શરૂ નહીં થતાં આખરે ગ્રામજનોનો ભરોસો ઉઠી ગયો છે.

ઉપરોક્ત બ્રિજના કામ માટે એક પાર્ટીને કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ તે પાર્ટીએ એક વર્ષ સુધી કામ શરૂ કર્યું ન હતું. જેથી રિટેન્ડર પ્રક્રિયા થઈ હતી, અને બીજી વખત પણ કામ ન થતાં હાલ ત્રીજી વખત રીટેન્ડર ની પ્રક્રિયા કરાઇ છે. અને બે કરોડના કામમાં ૨૭ ટકા ઓન આવી છે. એટલે કે અંદાજે બે કરોડ ૪૦ લાખમાં પુલ તૈયાર થઈ શકે તેમ છે, તે માટે ફરીથી અમદાવાદની એક પાર્ટીને કોન્ટ્રાક અપાયો છે.

 હવે તે પાર્ટી પૂલ બનાવવાનું કામ કરે છે કે કેમ, તે જોવાનું રહેશે. જોકે ગ્રામજનોને આ પુલ બની જાય તેનો કોઈ ભરોસો નથી રહૃાો, અને હાલ ચોમાસાની સિઝનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહૃાા છે. અને ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh