Advertisement
Author: નોબત સમાચાર

ઓખામંડળના ભિમરાણા નજીક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરાયું

સરકારી પડતર જમીનમાં કરાયું હતું બાંધકામ

                                                                                                                                                                                                      

ઓખા તા. ૮: ઓખામંડળના ભિમરાણા નજીક એક ધાર્મિક સ્થળનું બાંધકામ આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ તોડી પાડવામાં આવ્યું હતું અને સરકારી જગ્યા દબાણ મુક્ત કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંળ પંથકના ભિમરાણા નજીકની કાસમ અલી સિદિક બાબા દરગાહનું ૩પ વર્ષથી સરકારી જગ્યામાં દબાણ કરી નિર્માણ કરાયું હતું.

આ અંગે રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસર પાસેથી જરૂરી અભિપ્રાય ૫ણ મેળવાયા હતાં. ત્યારપછી જમીનમાં દબાણ કરનારને નોટીસ પાઠવાઈ હતી.

આ બાબતે તાલુકા કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી ત્યારે એવી રજૂઆતો કરવામાં આવી હતી કે, આ ધાર્મિક સ્થળ રોડથી ઘણું દૂર છે, નડતરરૂપ નથી. આજુબાજુમાં રહેણાંક પણ નથી. તમામ દલીલો સાંભળ્યા પછી કાનૂની માર્ગ મોકળો થયો હતો. આથી વહીવટી તંત્ર દ્વારા આજે આ ધાર્મિક સ્થળનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

આ સમયે પ્રાંત અધિકારી, મામલતદાર ઉપરાંત જિલ્લા પોલીસ પોલીસ વડા જયવિરસિંહ વાળા સહિત વિશાળ પોલીસ કાફલો બંદોબસ્તમાં જોડાયો હતો.

સંપૂર્ણ ધાર્મિક સ્થળને દૂર કરીને સરકારી પડતર જગ્યા તંત્ર દ્વારા દબાણ મુક્તકરી ખુલ્લી કરાવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh