Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એક વેપારી સાથે ત્રણ શખ્સે છેતરપિંડી આચર્યાની ફોજદારી

મોરબીના બે શખ્સની પણ સંડોવણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના એક વેપારી સાથે મોરબીના બે અને જામનગરના એક શખ્સે પૂર્વયોજિત કાવતરૂ રચી છેતરપિંડી આચર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર યુવા પાર્ક-૧માં રહેતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના વેપારીએ મોરબીના હસમુખભાઈ થોરીયા, યાજ્ઞીક કાસુંદ્રા તથા જામનગરના મીત ગડારા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઉપરોક્ત ત્રણેય શખ્સે પૂર્વયોજીત કાવતરૂ રચી છેતરપિંડી આચરી છે. વેપારી મહેન્દ્ર પાસેથી બ્રાસનો યાજ્ઞીકે માલ ખરીદ્યા પછી મોરબીના જ હસમુખે થોડા રૂપિયા અપાવી નોટરી કરાર કરાવી લીધો હતો અને મહેન્દ્રભાઈની બાકીની રકમ ઓળવી જવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh