Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોમત પ્લોટ સોસાયટીના રહીશોને ઉપયોગી બનશે
જામનગર તા. ૩૧: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે વોર્ડ નં. ૧૧ ગોકુલધામ સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામગરના વોર્ડ નં. ૧૧ મા આવેલ ગોકુલધામ સોસાયટી (વિભાપર) ના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
લોકભાગીદારી સ્કીમ અંતર્ગત ધારાસભ્ય તથા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂ. ૧૦ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં આવેલ કોમન પ્લોટમાં પેવર બ્લોકની કામગીરી થવાથી લોકો ધાર્મિક, સામાજિક પ્રસંગો સહિત અન્ય રીતે પ્લોટ ઉપયોગમાં લઈ શકશે. લોકોને ઘર આંગણે જ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પ્રકારે સરકાર હંમેશાં કાર્યરત રહે છે.
આ સુવિધા આપવા બદલ સોસાયટીના રહેવાસીઓએ પણ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નં. ૧૧ ના કોર્પોરેટર તપનભાઈ પરમાર, હર્ષાબેન વિસરોદિયા, અગ્રણી કુમારપાળસિંહ રાણા, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial