Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આર્થિક પરિસ્થિતિના કારણે યુવાનની આત્મહત્યાઃ
જામનગર તા. ૧: ધ્રોલના લતીપરમાં ખેતમજૂરી માટે આવીને રહેતા દાહોદના શ્રમિક પરિવારના મહિલાએ પતિ પાસે પિયર જવાની ઈચ્છા વ્યક્ત કર્યા પછી પતિએ પૈસા ન હોવાનું કહેતા આ મહિલાએ ગળાટૂંપો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. જ્યારે આર્થિક નબળી પરિસ્થિતિનો સામનો કરતા આસામના યુવાને સિક્કામાં ગળાફાંસો ખાઈ લીધો છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં આવેલા મિયાઝરભાઈ કીહોર નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના વતની મેહુલભાઈ વરિયાભાઈ ડામોર નામના શ્રમિકના પત્ની રમીલાબેન (ઉ.વ.૨૧)એ શુક્રવારે પતિ મેહુલભાઈ પાસે પોતાના પિતાના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ મેહુલભાઈએ અત્યારે પૈસા નથી તેમ કહેતા અને પિતાના ઘરે જવાની ના પાડતા રમીલાબેનને માઠું લાગી આવ્યું હતું.
આ મહિલાએ શુક્રવારે સાંજે તે ખેતરમાં જ આવેલા લીમડાના ઝાડમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. તે બાબતની જાણ થતા પોલીસને વાકેફ કરવામાં આવી છે. પોલીસે પતિ મેહુલનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર તાલુકાના સિક્કામાં જકાતનાકા પાસે મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ આસામના દિબ્રુગઢ જિલ્લાના વતની કમલ કાંતેશ્વર લાહોન (ઉ.૪૩) નામના પરપ્રાંતીય શ્રમિકે ગુરૂવારે સવારે ત્યાં આવેલા એક ઝાડમાં ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યાનું કેતનભાઈ પ્રભાતભાઈ ગોસાઈએ પોલીસમાં જાહેર કર્યું છે. આ યુવાન કેટલાક સમયથી કામધંધો ન કરવાના કારણે આર્થિક મુશ્કેલી અનુભવતા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial