Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નદીમાંથી અજાણ્યા યુવાનનો સાંપડ્યો મૃતદેહઃ
જામનગર તા. ૧: જામજોધપુરના સતાપર ગામના એક પ્રૌઢ ગામની સીમમાં આવેલી નવ ટાંકીયા નદીમાં કોઈ રીતે પડી ગયા પછી ડૂબી જઈ મૃત્યુ પામ્યા છે. જ્યારે જામનગર નજીક નદીમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તેની ઓળખ મેળવવા પોલીસે તજવીજ શરૂ કરી છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં વસવાટ કરતા ચનાભાઈ સાજણભાઈ ગળચર નામના પંચાવન વર્ષના પ્રૌઢ ગુરૂવારે સાંજે પોતાના ઘરેથી પાડીને ચરાવવા માટે લઈને નીકળ્યા હતા. તે પાડી નદીના કાંઠે પહોંચ્યા પછી કોઈ રીતે ચનાભાઇ નદીમાં ડૂબી જતા તેઓનું મૃત્યુ નીપજ્યાનું તેમના પત્નીબેન હીરીબેન ચનાભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.
જામનગર નજીક નદીમાંથી શનિવારે પચ્ચીસેક વર્ષના લાગતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. મૃતકના છાતીના ભાગમાં પ્રિયંકા નામ લખેલુ છે તથા દિલ ત્રોફાવેલુ છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૦૨૮૮-૨૭૩૦૧૫૧નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial