Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી જન્માષ્ટમી પર્વ નિમિત્તે
જામનગર તા. ૧૩: જન્માષ્ટમી નિમિત્તે આગામી તા. ૧૬/૮ ને શનિવારે શ્રી દ્વારકાધીશજી મંદિર-બેટમાં શ્રી ઠાકોરજીના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં તા. ૧૬/૮ ના સવારે ૭-૩૦ વાગ્યે શ્રી ઠાકોરજીની મંગલા આરતી, ૮ વાગ્યે મોર આરતી, ૮-૩૦ વાગ્યે શ્રી ઠાકોરજીના ખુલ્લે પડદે પંચામૃતથી સ્નાન (સવારો અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે), બપોરે પ વાગ્યે શ્રી ઠાકોરજીને મીઠાજળ અને અનોસર (દર્શન બંધ), બપોરે ૧ થી સાંજના ૪-૩૦ વાગ્યા સુધી અનોસર, સાંજે ૪-૩૦ વાગ્યે શ્રી ઠાકોરજીના ઉત્સવનું દર્શન, રાત્રે ૮ વાગ્યે શ્રી ઠાકોરજીના શયન દર્શન, રાત્રે ૧ર વાગ્યે શ્રી ઠાકોરજીના જન્મ દર્શન, ૧ર-૩૦ વાગ્યે શ્રી ઠાકોરજીના ખુલ્લે પડદે પંચામૃતથી સ્નાન, તા. ૧૭/૮ ને રવિવારે સવારે પ વાગ્યે શ્રી ઠાકોરજીના પલણાના દર્શન, સવારે ૯ વાગ્યે રી ઠાકોરજીને મીઠાજળ અને અનોસર, સવારે ૯ થી ૪-૩૦ વાગ્યા સુધી દર્શન બંધ (અનોસર), સાંજે ૪-૩૦ વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે ૮ વાગ્યે શ્રી ઠાકોરજીના શયન દર્શન થશે. સર્વે વૈષ્ણવો તથા શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial