Advertisement
Author: નોબત સમાચાર

પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટની જમીન અંગે દસ્તાવેજ માટે કરાયેલો દાવો કોર્ટમાં રદ્દ

ભાગીદારી પેઢીના ભાગીદારે કર્યાે હતો દાવોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના એક ટ્રસ્ટની કરોડોની કિંમતની જમીન અંગે જે પેઢીનું ટેન્ડર પાસ થયું હતું તે પેઢીના એક ભાગીદારે દસ્તાવેજ બનાવી આપવા દાવો કરતા અદાલતે ટ્રસ્ટના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દાવો રદ્દ કર્યાે છે.

જામનગર શહેરમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાછળ આવેલી પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટની જગ્યા વેચવા માટે કેટલાક વખત પહેલાં જાહેરાત કરાતા મહેતા ડેવલોપર્સ નામની પેઢીએ રૂ.૪ કરોડથી વધુની રકમમાં તે જગ્યા ખરીદવા તૈયારી દર્શાવી ટેન્ડર મુજબ રૂ.૬૦ લાખથી વધુની રકમ જમા કરાવી હતી.

તેમનું ટેન્ડર પાસ થતાં ચેરિટી કમિશનરે વેચાણની પરવાનગી આપી હતી પરંતુ આ ભાગીદારી પેઢી દ્વારા અવેજની બાકી રકમ ચૂકવાઈ ન હોવાથી દસ્તાવેજ થયો ન હતો. તે દરમિયાન એક ભાગીદાર હરેન્દ્ર ચમનલાલ મહેતાએ દીવાની અદાલતમાં દાવો નોંધાવી મિલકતનો કબજો સોંપવામાં આવે તેવી દાદ માંગી હતી.

તે દાવામાં મંડળ ટ્રસ્ટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે અવેજની રકમ પૂરેપૂરી ચૂકવવામાં આવે તે પછી જ દસ્તાવેજ કરવાનો છે તે શરતનું પાલન કરવામાં આવ્યું નથી. તેમજ આ પેઢી પોતાના ભાગનું પાલન કરવા તૈયાર હતી અને છે તે સાબિત થઈ શકતું નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી મહેતા ડેવલોપર્સનો દાવો રદ્દ કર્યાે છે. મંડળ ટ્રસ્ટ તરફથી વકીલ પ્રદીપ દેસાઈ, ધવલ વજાણી, રાધા મોદી, જાનકી ભૂત, માનસી ફટાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh