Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧પ જવાનો ઘાયલઃ ઢાળવાળા રસ્તે અકસ્માતઃ
નવી દિલ્હી તા. ૭: જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફનું વાહન લપસીને ર૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા ૩ ના મોત થયા, પ ગંભીર છે, અને ૧પ જવાનોને ઈજા થઈ છે.
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં ગુરુવારે સવારે ૧૦-૩૦ વાગ્યે સીઆરપીએફ જવાનોનું એક બંકર વાહન ર૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં ૩ જવાનોના મોત થયા છે, જ્યારે અન્ય ૧પ ઘાયલ થયા છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર પ જવાનોની હાલત ગંભીર છે. સીઆરપીએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર 'વાહન સૈનિકોના એક જુથને લઈ જઈ રહ્યું હતું, જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું હતું. ઘણાં ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે, અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial