Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબનગરમાં રહેતા ગેરેજના વ્યવસાયીની હત્યાનું કારણ જાણવા તપાસઃ
જામનગર તા. ૧૯: જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા જૂના આવાસ પાસે આજે સવારે એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. હત્યાને અંજામ આપી આરોપી નાસી ગયો છે. બનાવની પોલીસને જાણ થતાં સિટી એ ડિવિઝનના પીઆઈ તેમજ સિટી ડીવાય એસપી અને એલસીબીની ટીમ દોડી ગયા છે. મૃતક ગુલાબનગરમાં રહેતા હોવાનું ખૂલ્યું છે. પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા જૂના આવાસ નજીક આજે સવારે નવેક વાગ્યે ગુલાબનગરમાં રહેતા અને ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા અખ્તર ઉર્ફે અબ્દુલ રફીક ખીરા (ઉ.વ.૩પ) નામના યુવાનની કરપીણ હત્યા થઈ ગયાની પોલીસને જાણ કરવામાં આવતા સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા સહિતનો પોલીસ કાફલો ધસી ગયો હતો.
લાલવાડી ગાર્ડનથી આવાસ તરફ જવાના રસ્તા પર આવેલા જૂના આવાસ નજીક આ યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યો છે. આ યુવાન ગુલાબનગરમાં રહેતો હોવા છતાં આજે સવારે કોઈ કારણથી લાલવાડી વિસ્તારમાં આવ્યો હતો. જ્યાં તેની હત્યા થઈ જવા પામી છે. પોલીસે બનાવના સ્થળને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. જેમાં એલસીબી ટીમ પણ જોડાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial