Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી ઓળખપત્ર રદ્ ન કરાવાય, ત્યાં સુધી નામ કાઢી નાખવું ન જોઈએ
જામનગર તા. ૮: જામનગરમાં મતદાર યાદી સુધારણા કાર્ય એસઆઈઆર (સોશિયલ ઈન્સેટિવ રીવીઝન) પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં રહેલી ઉણપને દૂર કરવી જોઈએ. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
જામનગરમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. ઘણાં મતદારો અન્ય સ્થળે કામ ચલાવ અથવા કાયમી ધોરણે રહેવા ચાલ્યા ગયા છે. બીએલઓ ઘરે આવે ત્યારે તેઓ હાજર હોતા નથી.
આથી બીએલઓ તેમને શિફટેડ (અન્ય રહેવા-ગયેલ, ચાલ્યા ગયેલ) જાહેર કરે છે. તેઓ જ્યાં રહે છે ત્યાં મતદાર સુધારણા યાદીની પ્રક્રિયા થયેલ ન હોવાથી ત્યાંની મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરી શક્યા નથી, અને તેથી પોતાના જુના વિસ્તારમાં મતદાન દિવસે અને જુની મતદાર યાદી મુજબ નામ યથાવત્ હોય તો મતદાન કરવાનો પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે. કેમ કે આવા લોકો જુની મતદાર યાદી અને જુના રાશનકાર્ડમાં મળતા અનાજ લેવા દર મહિને રાહતરૂપ અનાજ પણ મેળવતા હોય છે.
જ્યાં સુધી મતદાર પોતાના ઓળખપત્ર મુજબ નવા ક્ષેત્રમાં નામ દાખલ ન કર્યું હોય ત્યાં સુધીમાં તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા અને એસઆઈઆરની ઉણપ છે, જે મતદાનનો મૂળભૂત અધિકાર ઝૂંટવે છે.
જે લોકો અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા છે તેના ઓળખપત્રના નંબર મુજબ જો તેઓએ પોતાનું નામ અન્ય મતદાર યાદીમાં નોંધાવ્યું હોય તો મતદાર યાદીમાં રીમાર્ક કોલમ બનાવી શિફટેડ મતદાર જાહેર કરીને તે મતદારને તાત્કાલિક આવતી પ્રથમ ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર આપવો જોઈએ, અને જુની મતદાર યાદી મુજબ નામ ચાલુ રાખવું જોઈએ. તેમ જામનગરના સુનિલ ઝાલાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરને રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial