Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ દ્વારા
ખંભાળીયા તા. ૨૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ બનેલા ખંભાળીયા તાલુકાના બેહ ગામના સરપંચ તથા ગઢવી સમાજના યુવા અગ્રણી પ્રવિણભાઈ મોમૈયાભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરીને ખંભાળીયા સહિત જિલ્લાની પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની ઘટ હોય તથા તેના કારણે બાળકોના ભવિષ્યને નુકસાન થતું હોય, તાકીદે પુરતા પ્રમાણમાં શિક્ષકોની નિમણૂક પ્રાથમિક તથા માધ્યમિક વિભાગોમાં કરવા રજૂઆત કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦૦૦થી વધુ પ્રાથમિક શિક્ષકોની ધો. ૧ થી ૫ તથા ધો. ૬ થી ૮ માં ઘટ છે. તાજેતરમાં ધો. ૧ થી ૫ માં નવા શિક્ષકો નીમાયા પણ હજુ એકાદ હજાર જગ્યાઓ ખાલી હોય અનેક ગામોમાં શાળાદીઠ ધો. ૧ થી ૮ માં એક-બે શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે. માધ્યમિક તથા ઉ.મા. શિક્ષકોની પણ ૨૦૦ ઉપરાંતની ઘટ છે તથા બે વર્ષમાં પહેલા શરૂ થયેી સાથ નવી સરકારી શાળામાં પણ હજુ પુરતા શિક્ષકો નથી, તો સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં પણ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય, છેવાડાના દ્વારકા જિલ્લાના શિક્ષણ ને ખુબ નુકસાન થયું હોય, તાકીદે નિયુક્તી કરવાની માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial