Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજી ગ્રાહ્ય રાખતી અદાલત

શરતોને આધીન રહેવા અદાલતનો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરમાં જીએસટી અંગેની તપાસ માટે ધસી આવેલી અમદાવાદની જીએસટી ટીમે એક ચાર્ટર્ડ એકાઉન્ટની પેઢી તથા રહેણાંકના સ્થળે ચકાસણી કરી ગોબાચારી કરતા હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ સીએ સામે બે ફોજદારી ફરિયાદ પણ થઈ હતી. આ આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.

જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયાની હિરજી મિસ્ત્રી રોડ પર આવેલી બ્રહ્મ એસોસિએટ નામની પેઢી તથા તેના રહેણાંક મકાનમાં દસેક દિવસ પહેલાં અમદાવાદથી ધસી આવેલી જીએસટીની ટીમે શરૂ કરેલી ચકાસણીમાં કરોડો રૂપિયાની જીએસટીની ગોબાચારીનો પર્દાફાશ થયો હતો. તે દરમિયાન બે વેપારીએ પોતાની જાણ બહાર આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કરોડો રૂપિયાની વેરાશાખ લઈ લીધાની ફોજદારી ફરિયાદ પણ નોંધાવી હતી.

ચકાસણી દરમિયાન અલ્પેશ પેઢડીયા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો તેની ચાલી રહેલી શોધખોળ દરમિયાન આ આરોપીએ જામનગરની કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. તેની સુનાવણી ગઈકાલે પૂર્ણ થઈ હતી.

આ આરોપીને શરતી આગોતરા જામીન આપ્યા છે. જીએસટીની ટીમને તપાસમાં સહયોગ આપવા ઉપરાંત આગામી તા.૧૮ અને ૧૯ના દિવસોએ તેમજ આગામી તા.૨૭ ઓકટોબરથી તા.ર નવેમ્બર સુધી જીએસટીની અમદાવાદ સ્થિત વડી કચેરીમાં જીએસટી ટીમને જે જોઈતા હોય તે કાગળો સાથે રાખી તપાસમાં સહયોગ આપવાની ખાતરી પછી આગોતરા જામીન આપ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh