Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગત્ રાત્રે ૧૧ વાગ્યાથી ધોધમાર વરસાદમાં રમાયા 'ઓપરેશન સિંદૂર' ગરબા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાનુસાર સમગ્ર રાજ્યની સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: જામનગરના ખેલૈયાઓ વરસતા વરસાદે પણ 'ઓપરેન સિંદૂર' ગરબાના તાલે ઝૂમ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા ગત્ રાત્રે ૧૧ કલાકે ઓપરેશન સિંદૂરનો ગરબો ગાવા માટે કરાયેલ અનુરોધ થકી ખેલૈયાઓએ સૈન્યને અનોખી સલામી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના વીર જવાનોએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકીઓને જડબાતોબ જવાબ આપ્યો હતો અને દેશની માતાઓ-બહેનોની સુરક્ષાના સંકલ્પ સાથે આપણા વીરોએ નવા ભારતની તાકાત આખી દુનિયાને બતાવી હતી.

નવરાત્રિ પર્વમાં શક્તિની ભક્તિ સાથે આપણે રોજ ઉત્સાહથી ગરબા ગાઈએ છીએ, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે રવિવારે રાત્રે ૧૧ થી ૧૧.૧૦ દરમિયાન સૌ એકસાથે ઓપરેશન સિંદૂરના સ્મરણમાં રચિત ગરબા ગાવા પર આહ્વાન કરવામાં આવ્યું હતું, ત્યારે રાજ્યમાંથી એક સાથે ઓપરેશન સિંદૂરના ગરબાની ગૂંજ ઊઠતા અદ્ભુત માહોલ સર્જાયો હતો.

જામનગર શહેર-જિલ્લામાં વરસતા વરસાદે પણ રાત્રે ૧૧ કલાકે ખેલૈયાઓ અને ગરબીની બાળાઓએ ઓપરેશન સિંદૂરના ગરબા ગાઈને સૈન્યને સલામી આપી હતી. ગરબા મંડળના સંચાલકો દ્વારા તેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાથી આસપાસના વિસ્તારના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા તો અન્ય સ્થળે સલામત રીતે રહીને ઓપરેશન સિંદૂરની થીમનો ગરબો ગાઈને હાથમાં તિરંગા ફરકાવી સરકાર દ્વારા કરવામાં આવેલ અનુરોધ સાર્થક કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh