Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકની ઓળખ આપવા પોલીસનો અનુરોધઃ
જામનગર તા. ૧૯: જામનગરના લાખાબાવળ નજીકના રેલવે ટ્રેક પરથી બુધવારે રાત્રે પસાર થયેલી એક ટ્રેન હડફેટે અજાણ્યા મહિલા ચઢી જતા તેઓનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જામનગરથી ખંભાળિયા વચ્ચેના રેલવે ટ્રેક પર આવેલા કનસુમરા ગામના પાટીયા પાસે સાંઢીયા પુલ નજીક રેલવે ફાટક ૨૦૩ પરથી બુધવારે રાત્રે અગિયારેક વાગ્યે ટ્રેન પસાર થઈ હતી.
આ ટ્રેન હડફેટે ત્રીસેક વર્ષની વયના લાગતા એક મહિલા હડફેટે ચઢી ગયા હતા. ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર લાગતા આ મહિલા ફંગોળાયા હતા જેમાં તેણીનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યા પછી હાલમાં મૃતદેહને મેડિકલ કોલેજના કોલ્ડ સ્ટોરેજમાં મૂકાવ્યો છે. આ મહિલાના ડાબા હાથ પર પાટો વીંટેલો જોવા મળ્યો છે. મૃતકની ઓળખ આપવા પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial