Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમઆદમી પાર્ટીનું જિલ્લા તંત્રને આવેદનઃ
ખંભાળીયા તા. ૨૬: વિદેશથી આયાત થતા કપાસને તમામ પ્રકારના વેરામૂક્ત કરવાના વિરોધમાં આપ પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું છે.
ભારતમાં વિદેશથી આયાત થતા કપાસને તમામ પ્રકારના વેરામાંથી મૂકત કરવાના હેતુના નિર્ણય સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા આપ પાર્ટી તથા કિશાન સેલ દ્વારા આ બાબતનો વિરોધ વ્યક્ત કરીને જિલ્લા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવેલ કે તા. ૧૯-૮-૨૫ના રોજ કેન્દ્રના નાણા વિભાગે વિદેશથી આયાત થતા કપાસ પર તમામ વેરાઓ રદ કર્યા છે. ભારતમાં કપાસનું ઉત્પાદન જરૂરિયાત કરતા વધુ થતું હોય, ભારત નિકાસ કરે છે ત્યારે વિદેશથી કપાસને વેરામૂક્ત કરીને આયાત કરવી એ ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ બની શકે તેમ હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગષ્ટના લાલ કિલ્લા પરથી ખેડૂતોના લાભાર્થે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે. ત્યારે આ બહારથી આવતા કપાસ પરથી ટેક્સ કાઢી નાખવાના મુદે તુરંત યથાવત સ્થિતિ રાખવા માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial