Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા તંત્રને આવેદનઃ
ખંભાળિયા તા. ૩૦: આમ આદમી પાર્ટી દ્વારા દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી નુક્સાન અંગે સહાય માટે તંત્રને આવેદનપત્ર અપાયું છે, જેમાં ખેડૂતો પણ જોડાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં પડેલ માવઠાના વરસાદથી વ્યાપક નુક્સાન ખાસ કરીને ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ વિસ્તારમાં વ્યાપક થયું હોય ચોમાસુ પાક જે તૈયાર થવાની સ્થિતિમાં છે ત્યારે આવા માવઠાના વરસાદથી પાક નિષ્ફળ જવા સાથે ઘાસચારો પણ નાસ થયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા તંત્રને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર અપાયું હતું જેમાં ખેડૂતો પણ જોડાયા હતાં.
આવેદનપત્રમાં જણાવેલ કે દ્વારકા જિલ્લામાં તાજેતરમાં પડેલા માવઠાના કમોસમી વરસાદથી ખેડૂતોને બહું મોટુ નુક્સાન થયું હોય તથા મગફળી તથા અન્ય પાક નાશ પામ્યા હોય, મગફળી ઉગી જવી, પલળી જવી નાશ થવો, મગફળીના પાથરાને નુક્સાન થતા ઘાસચારાનો પણ નાશ થઈ ગયો હોય, સરકારની ધિરાણ યોજનામાંથી મેળવેલી પાકધિરાણને સંપૂર્ણ માફ કરવા તથા એક હેક્ટર દીઠ એક લાખ રૂપિયાની સહાય સમગ્ર જિલ્લામાં તાકીદે આપવાની માગ કરવામાં આવી છે તથા જેમણે ધિરાણ નથી લીધું તેમને પણ સહાય આપવામાં આવે જેથી તેઓ શિયાળુ વાવેતર કરી શકે.
સરકાર દ્વારા સર્વે કરવાના બદલે વરસાદના આંકડા પરથી જ હવામાન ખાતા પાસેથી વિગતો લઈને તુરત જ સહાય આપે તેવી પણ માગણી કરવામાં આવી હતી. ખેડૂતોને બચાવવા, ખેતીના નુકસાનમાંથી ઉગારવા માટે તાકીદે સહાયની રકમ ફાળવવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial