Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબલ ઓપરેટર્સ-સંચાર માધ્યમોને
ખંભાળિયા તા. ર૮: પીજીવીસીએલના ઈલેક્ટ્રીક નેટવર્ક (થાંભલા) પર કોઈપણ પ્રકારની મંજુરી વગર કેબલ ટીવી ઓપરેટરો-સંચાર માધ્યમો વાયરો લગાવવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
ટીવી કેબલ ઓપરેટરો દ્વારા ટીવી કેબલનું નેટવર્ક પીજીવીસીએલના ઈલેક્ટ્રીક નેટવર્ક (થાંભલ) પર કોઈપણ પ્રકારની મંજુરી વગર પ્રસ્થાપિત કરી ઉપયોગ કરવામાં આવે છે, જેથી વીજ અકસ્માત થવાની સંભાવના રહે છે. જેને પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ર૦ર૩ ના કાયદાની કલમ ૧૬૩ હેઠળ મળેલ અધિકારની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈપણ ટીવી કેબલ ઓપરેટરો કે સંચાર માધ્યમોએ પીજીવીસીએલના ઈલેક્ટ્રીક નેટવર્ક (થાંભલા) પર ટીવી કેબલ-અન્ય સંચાર માધ્યમના વાયરો પ્રસ્થાપિત કરવા નહીં તેમજ પીજીવીસીએલ દ્વારા દૂર કરવામાં આવેલ ટીવી કેબલ-સંચાર માધ્યમના વાયરો પીજીવીસીએલ નેટવર્ક (થાંભલા) પર પુનઃ સ્થાપિત કરવા નહીં, તેવો આદેશ આપ્યો છે.
આ જાહેરનામું તા. ૭-૯-ર૦રપ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના હુકમનું ઉલ્લંઘન કરનાર ટીવી કેબલ ઓપરેટરનું રજિસ્ટ્રેશન રદ થવાપાત્ર રહેશે તેમજ જાહેરનામાના હુકમનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા ર૦ર૩ ની કલમ રર૩ મુજબ સજાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial