Advertisement
Author: નોબત સમાચાર

રૂ.૪૦ લાખની વેટચોરીના કેસમાં આરોપીનો અદાલતમાં થયો છૂટકારો

૧૦ વર્ષ પછી કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના સોપારીના વેપારી સામે રૂ.૪૦ લાખની વેટ ચોરીની દસ વર્ષ પછી પોલીસમાં ફરિયાદ થઈ હતી. કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના ભાવિનભાઈ અશોકભાઈ સવજાણી નામના સોપારીના વેપારી સામે દસ વર્ષ પહેલાંના આકારણી પ્રોસીડીંગ્સ સંબંધે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ આસામીએ રૂ.૪૦ લાખની વેટચોરી કરી હોવાનો આક્ષેપ હતો.

ઉપરોક્ત કેસ જામનગરની ચીફ કોર્ટમાં ચાલવા પર આવતા બચાવપક્ષે દલીલ કરી હતી કે, પોલીસ ફરિયાદ દસ વર્ષ પછી કરવાનો અધિકાર નથી તે જ રીતે ગુજરાત વેટ એક્ટ અનુસાર ખાસ જોગવાઈ હોવા છતાં વેટ અધિકારી પોલીસ ફરિયાદ કરતા નથી. તે સંજોગોમાં આરોપીનો છૂટકારો કરવો જોઈએ. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને છોડી મુકવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અશ્વિન મકવાણા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh