Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના વેપારીએ જાણ બહાર જીએસટીની વેરાશાખ લઈ લેનાર સી.એ. સામે નોંધાવી ફોજદારી

જીએસટીની તપાસમાં બીજા વેપારીએ પણ પોલીસમાં કરી રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરમાં જીએસટી અંગે તપાસ કરવા માટે અમદાવાદથી ધસી આવેલી જીએસટી વિભાગની ટીમે એક સપ્તાહ સુધી કેટલાક શંકાસ્પદ વ્યવહારોની ચકાસણી કર્યા પછી એમ સી.એ.ના ઘર તથા ઓફિસમાં દરોડા પાડી થોકબંધ સાહિત્ય ઝબ્બે લીધુ હતું. જેમાં કેટલાક એકાઉન્ટની ચકાસણી થતાં જીએસટી પોર્ટલ પર ખોટી રીતે વેરાશાખ લેવામાં આવી હોવાનું ખૂલ્યા પછી એક આસામીએ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે પછી ગઈકાલે બીજા આસામીએ પણ ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં જીએસટી ચોરીની તપાસ માટે સાતેક દિવસથી આવેલી અમદાવાદની જીએસટી વિભાગની ટીમે કેટલાક વ્યવહારોની શરૂ કરેલી તપાસમાં જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર કાર્યરત બ્રહ્મ એન્ડ એસોસિએટ નામની સી.એ.ની પેઢીમાં ચકાસણી કરી હતી. અલ્કેશ પેઢડીયા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા લેવામાં આવેલી કેટલીક જીએસટીની વેરાશાખ પર તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

તે દરમિયાન અલ્કેશ પેઢડીયાની ઓફિસ તથા તેના રહેણાંક મકાનમાં ચકાસણી કરી જીએસટી ટીમે કેટલુક સાહિત્ય કબજે લીધુ હતું. તે પહેલાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ત્યારપછી જુદી જુદી પેઢીઓના એકાઉન્ટ ચકાસવામાં આવતા જામનગર તાલુકાના મોટી લાખાણી ગામના રહેવાસી અને વાહનોના સ્પેરપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક આસામીની વિગતો જોવાતા તેઓના જીએસટી પોર્ટલ પર રૂ.ર કરોડ ૯૭ લાખની વેરાશાખ હોવાનું જણાયું હતું.

આ આસામીની કેફિયત પરથી પોલીસ ફરિયાદ કરવા સૂચના અપાતા પોલીસમાં ગુન્હો નોંધાવાયો હતો. ત્યારપછી ગઈકાલે શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા સંજયભાઈ રસીકભાઈ ચીતારા નામના બીજા આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તેઓની ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ સંજયભાઈની પેઢીનું એકાઉન્ટ લખાયા પછી તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા જીએસટીની કાર્યવાહી કરી આપતા હતા જેમાં સંજયભાઈની પેઢીના જીએસટી પોર્ટલ પર ભરવાપાત્ર રિટર્નમાં ખરીદ-વેચાણના ખોટા બીલ બતાવી રૂ. ૩ કરોડ ૭૦ લાખની વેરાશાખ તેઓની જાણ બહાર લઈ લેવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. સિટી સી ડિવિઝન પોલીસે તે ગુન્હાની નોંધ કરી છે. એલસીબીના પીએસઆઈ પી.એન. મોરીએ તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh