Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના સિદ્ધનાથ મહાદેવ મંદિરે શનિ અમાવસ્યાએ છપ્પનભોગ-મનોરથ

એલ.આર. પરિવારના સહયોગથી યોજાશેઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૨: દ્વારકાના પૌરાણિક શિવાલયો પૈકીના શ્રીકૃષ્ણ કાળના સિદ્ધનાથ મહાદેવ મંદિરે તા. ૨૩-૮-૨૫ના શ્રાવણી અમાવસ્યા નિમિત્તે દ્વારકાના મુન્નાભાઈ પાબારી તથા એલ. આર. પરિવારના સહયોગથી ભવ્ય છપ્પનભોગ મનોરથનું આયોજન કરાયું છે. સાંજ થી રાત્રિ સુધી ચાલનારા છપ્પનભોગ મનોરથમાં સંધ્યા આરતી બાદ ભાવિકો માટે પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવનાર છે. એલ. આર.ગ્રુપના સહયોગથી યોજાનાર છપ્પનભોગ મનોરથમાં દેવાધિદેવને મહાકાલ સ્વરૂપનો વિશિષ્ટ શૃંગાર પણ યોજવામાં આવનાર છે. સમગ્ર ગ્રામજનો તથા બહારગામથી પધારતા ભાવિકોને આ દિવ્ય દર્શન તથા છપ્પનભોગ મનોરથનો લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh