Advertisement
Author: નોબત સમાચાર

પોલીસના બાતમીદાર હોવાની શંકાથી યુવાન પર બે શખ્સ પાઈપ વડે તૂટી પડ્યા

હુમલામાં યુવાનનો હાથ ભાંગી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એરફોર્સ-ર રોડ પર ગઈરાત્રે મૂળ અમદાવાદના એક યુવાનને આંતરી લઈ બે શખ્સે આ યુવાન પોલીસના બાતમીદાર હોવાની શંકાથી બે પાઈપ વડે હુમલો કરી આ યુવાનનો હાથ ભાંગી નાખ્યો હતો.

જામનગરના સત્યમ્ કોલોની વિસ્તાર નજીક આવેલા એરફોર્સ-ર રોડ સ્થિત સ્વામીનારાયણ રેસીડેન્સી નજીકથી ગઈરાત્રે મૂળ અમદાવાદના સામરબતી વિસ્તારમાં રહેતા જયેશભાઈ ભાસ્કરભાઈ પંડયા નામના યુવાન પસાર થતા હતા ત્યારે દેવાંગ પરમાર તથા દિશાંત ચાવડા નામના બે શખ્સ ધસી આવ્યા હતા.

આ શખ્સોએ પોલીસને જયેશભાઈ બાતમી આપતા હોવાની આશંકા રાખી ગાળો ભાંડ્યા પછી લોખંડ તથા પ્લાસ્ટિકના પાઈપથી હુમલો કર્યાે હતો. જેમાં દેવાંગે જમણા હાથમાં લોખંડનો પાઈપ ફટકારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું અને દિશાંતે પ્લાસ્ટિકના પાઈપથી જયેશભાઈને ફટકાર્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપી બંને શખ્સ નાસી ગયા હતા. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh