Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે પશુઓના આરોગ્ય મેળા, રસીકરણ તથા જનજાગૃતિ કાર્યક્રમો

જિલ્લા પંચાયત જામનગર પશુપાલન શાખા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: વિશ્વ પ્રાણી દિવસના અવસર પર જિલ્લા પંચાયત જામનગર- પશુ પાલન શાખા, ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ ૧૯૬૨(હરતું-ફરતુ પશુ દવાખાનું) જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા અને સ્વયં સેવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત લાલ બંગલો વિસ્તારથી લઈને ટાઉનહોલ વિસ્તાર સુધી રાખડતા કૂતરાઓનું હડકવા (રેેબિઝ) વિરોધી રસીકરણ કરવામાં આવ્યું. સાથે સાથે નાગરિકોમાં પ્રાણીઓ પ્રત્યે સચેતના લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.

જિલ્લા પંચાયત જામનગર પશુપાલન શાખા દ્વારા શેખપાટ અને ખારાવેઢા ગામે પશુ આરોગ્ય મેળા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પશુઓને વિનામૂલ્યે સારવાર તેમજ કૃમિનાશક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh